રાજનીતિ-મિ.રિપોર્ટર, ૭મી માર્ચ 

શું કોઈ ખુરશી પર બેસવાથી દેશના વડાપ્રધાન બની શકાય ? સૌ કોઈ તરત જ ના પાડશે. પરંતુ ભાજપાના નેતાઓનું માનવું છે કે નરેન્દ્ર મોદી જ્યારે-જ્યારે પણ કાચના બોક્સમાં રાખવામાં આવેલી એક લાકડાની ખુરશી પર બેસે છે, ત્યારે તેમની અને ભાજપની ભારે મતો થી જીત થાય છે. નેતાઓનું માનવું છે કે, નરેન્દ્ર મોદી  આ  ‘લકી ચેર’  પર બેસે છે ત્યારે પાર્ટીને માત્ર ઉત્તરપ્રદેશમાં જ નહીં પરંતુ, કેન્દ્રમાં પણ ભારે સફળતા મળી છે. તેવામાં તારીખ 8 માર્ચની રેલી માટે પાર્ટી ફરી વખત નરેન્દ્ર મોદીને આ ‘લકી ચેર’ પર બેસાડવા માટેની તૈયારી કરી રહી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લાં પાંચ વર્ષ કરતા વધુ સમયથી કાચના બોક્સમાં રાખવામાં આવેલી એક લાકડાની ખુરશી ફરી વખત ચર્ચામાં આવી છે.

‘લકી ચેર અંગે ભારતીય જનતા પાર્ટીઓના નેતાઓનું કહેવું છે કે આ ખુરશી પાર્ટી માટે ખૂબ જ ભાગ્યશાળી છે કારણકે જ્યારે-જ્યારે નરેન્દ્ર મોદી આ ખુરશી પર બેઠા છે ત્યારે ભાજપા કાનપુરની આસપાસની સીટ જીત્યું છે અને સાથે ઉત્તરપ્રદેશમાં પાર્ટીને અભૂતપૂર્વ સફળતા મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 8 માર્ચની રેલી માટે ફરી એકવખત આ ખુરશીને સજાવવામાં આવી રહી છે. ભાજપાના નેતાઓ ઈચ્છે કે વડાપ્રધાન મોદી ફરી એકવખત આ ખુરશી પર બેસે અને ફરી એકવખત કેન્દ્રમાં મોદી સરકાર બને. મોદીજી આ ખુરશી પર બેઠા અને દેશના વડાપ્રધાન બની ગયા. આ કારણે બીજેપીએ આ ખુરશી તે ડીલર પાસેથી ખરીદી લીધી અને બીજેપી કાર્યાલયમાં કાચના એક બોક્સમાં આ ખુરશી રાખવામાં આવી છે અને આ ખુરશી આજે પણ ત્યાં સુરક્ષિત છે.

This slideshow requires JavaScript.

 

 

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: