મિ.રિપોર્ટર, ૨૬મી નવેમ્બર.
ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ પોતાના સંસ્કાર અને શબ્દોની મર્યાદા ઓળંગીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાંધાજનક ટિપ્પણી કરી છે. એક જનપ્રતિનિધિ તરીકે જિગ્નેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ” નાલાયક બેટા” કહીને વાંધાજનક ટિપ્પણી કરતાં વિવાદ સર્જાયો છે. જિગ્નેશ મેવાણીના નિવેદનનો ભાજપ સહિતના અન્ય પક્ષના નેતાઓએ વખોડી કાઢ્યું છે.
દલિત નેતા અને ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કરેલા ટ્વિટ થી વિવાદ સર્જાયો છે. મેવાણીએ ટ્વિટ કરીને કહ્યું, ‘કૃપયા માહિતી આપો કે બુધ્ધગયા ની આજુબાજુમાં કોઈ કોરી શિલાલેખ છે શું? જ્યાં કન્હૈયા કુમારે કીધેલી એક વાત લખવાનું મન થાય છે કે, પ્રધાનમંત્રી એક નાલાયક પુત્ર છે, કારણ કે નોટબાંધીને જસ્ટિફાઈ કરવા માટે 90 વર્ષ ની માતાજી જી લાઈનમાં ઉભા, છી છી છી .. ‘
कृप्या जानकारी दें कि बौद्ध गया के अगल-बगल में कोई कोरा शिलालेख है क्या ? वहाँ कल कन्हैया कुमार द्वारा कही गई एक बात को लिखने का मन हो रहा है कि- ' प्रधानमंत्री एक नलायक बेटा हैं क्योंकि नोटबंदी को जस्टिफाई करने के लिए अपनी 90 साल की माता जी को लाईन में खड़ा कर दिया, छी छी छी..'
— Jignesh Mevani (@jigneshmevani80) November 26, 2018
એટલું જ નહિ વધુ કે ટ્વિટ કરીને નરેન્દ્ર મોદી પર વધુ એક પ્રહાર કર્યો હતો. જેમાં તેણે ટ્વિટ કરતા લખ્યું હતું કે, ગાંધીની ચશ્મા પહેર્યા, સરદાર સાહેબનું સ્ટેચ્યુ લગાવ્યું છે, સુભાષ બાબુ ની ટોપી પણ પહેરી, લગે હાથ ભગતસિંહની જેમ ફાંસી પણ લગાવી દે તો, કેવું રહે ? – વૉટ્સ ઍપ યુનિવર્સિટી … ‘
गांधी का चश्मा पहना, सरदार साहब का स्टेच्यू लगा रहे है, सुभाष बाबु का टोपी भी पहना। लगे हाथों भगतसिंह की तरह फांसी फंदा भी लगा ले तो कैसा रहेंगा? – वोट्सएप यूनिवर्सिटी से…
— Jignesh Mevani (@jigneshmevani80) October 29, 2018
જિગ્નેશ મેવાણીના આ બંને ટ્વિટ થી વિવાદ સર્જાયો છે.