www.mrreporter.in
દિલ્હી- મિ.રિપોર્ટર, ૨જી મે. 
દેશમાં કોરોના વાઈરસનો કહેર જારી છે.  દેશમાં ૩૨ હજાર થી વધુ કોરોના ના પોઝીટીવ કેસો છે. આ કેસો વધે નહિ અને કોરોના વાઈરસ ની સ્પીડ ધીમી પડે તે માટે કેન્દ્ર સરકારે લોક ડાઉનનો ત્રીજો રાઉન્ડ ચાલુ કર્યો છે. આ  લોકડાઉનની વચ્ચે  અનેક  રસપ્રદ કિસ્સા સામે આવ્યા છે.  
 
દેશમાં તમે  પોલીસને અનેક સ્વરૂપમાં જોયા હશે. જેમાં મોટા ભાગે તેમની છબી વિવાદાસ્પદ રહી છે.  અમુક કિસ્સામાં  પોલીસને કાયદાનો અમલ કરાવતા, કડક સ્વભાવની અથવા સમાજ સેવા કરતા જોઈ હશે. જોકે જ્યારથી લોક ડાઉનનો સમય શરુ થયો છે, પોલીસનો સંવેદનશીલ ચહેરો સામે આવ્યો છે. આમાં મધ્યપ્રદેશની એક મહિલા પોલીસનો પોઝીટીવ અને સંવેદનશીલ ચહેરો સામે આવ્યો છે. આ મહિલા પોલીસ અધિકારીએ લગ્ન માટે પંડિત નહિ મળતાં  લગ્નના મંત્ર બોલીને એક કપલના ફેરા ફેરા ફરાવ્યા હતા. 
 
વાત છે મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાની. મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લામાં લોકડાઉનની વચ્ચે એક અનોખા લગ્ન થયા છે.  જેમાં નરસિંહપુર જિલ્લાના શ્રીનગરમાં રહેતા લક્ષ્મણ ચૌધરીના લગ્ન નરસિંહપુરના ઇત્વારા બજારમાં રહેરી ઋતુ ચૌધરી સાથે નક્કી થયા હતા. બંને પરિવારોએ લગ્નો માટે સ્થાનિક જિલ્લા તંત્ર પાસે કાયદેસરની પરવાનગી લીધી હતી. જિલ્લા તંત્રેએ અમુક મહેમાનો સાથે મંજુરી આપી હતી. ઝોટેશ્વરના પાર્વતી મંદિરમાં  વર અને  કન્યા પક્ષને લગ્ન કરવા માટે કોઈ પૂજારી ન મળતાં  પોલીસ ચોકીમાં રહેલા મહિલા અધિકારી અંજલી અગ્નિહોત્રી આગળ આવ્યા હતા. મહિલા અધિકારીએ વર અને કન્યા ના લગ્ન કરાવ્યા હતા.  લગ્ન કરાવવા તેમણે ગૂગલની મદદથી મંત્રોચ્ચારણ કર્યું હતું અને પછી  દીપ પ્રજવલિત કરાવી ને બંને ના સાત ફેરા કરાવ્યા હતા. એટલું  જ નહિ પણ મહિલા અધિકારીએ વર-વધુને સાત વચનોની સાથે કાયદાનું પાલન કરવાની પણ જાણકારી આપી હતી
 
મહિલા પોલીસે જણાવ્યું હતું કે, લોકડાઉન ચાલી રહ્યું છે એટલે સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરાવવું જરૂરી છે. હું જયારે પેટ્રોલિંગ પર નીકળી ત્યારે મંદિરમાં વર અને કન્યા સાથે આઠ લોકો હાજર હતા અને તેમની પાસે પરવાનગી હતી. વર અને કન્યાએ જણાવ્યું હતું કે, મેડમ પૂજારીની વ્યવસ્થા નથી થઈ રહી. તમે પણ બ્રાહ્મણ છો તેથી તમે લગ્ન કરાવશો તો પણ ચાલશે.
 
મહિલા SI અંજલી અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે, જન સેવા કરવાનું અમારૂ કાર્ય છે. અમારા ઉચ્ચ અધિકારીઓ તરફથી આદેશ મળ્યો છે કે જેટલી પણ શક્ય હોય તેટલી મદદ કરવી જોઈએ. લગ્ન કરાવતા સમયે જેટલા મંત્રો આવડતા હતા તે હું બોલી અને જે નહોતા આવડતા તેના માટે ગૂગલમાં “વિવાહ પદ્ધતિ” સર્ચ કરીને પછી વાંચન કર્યું. યજ્ઞ કુંડ ન હોવાના કારણે દીપ પ્રજવલિત કરવામાં આવ્યો હતો અને ભગવાનને ચઢાવેલા ફૂલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
 
( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
 
 
 
 
 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: